વારાણસી-અમદાવાદ અને દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોના ખાચરોદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર
Live TV
-
પશ્ચિમ રેલવેના અમદાવાદ થી વારાણસી અને દરભંગા વચ્ચે સંચાલિત ટ્રેન નંબર 09168 વારાણસી-અમદાવાદ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09166 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેનનું રતલામ મંડળ ના ખાચરોદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે..જેનો સમય નીચે પ્રમાણેનો રહેશે..
1. તારીખ 24 ઓગસ્ટ 2021 થી ટ્રેન નંબર 09168 વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું ખાચરોદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 17:55/17:57 ને સ્થાને 17:52/17:57 કલાક નો રહેશે.
2. તારીખ 23 ઓગસ્ટ 2021 થી ટ્રેન નંબર 09166 દરભંગા અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું ખાચરોદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 17:52/17:57 ને સ્થાને 17:55/17:57 કલાક નો રહેશે.
