શ્રાવણ માસમાં હર હર મહાદેવનો નાદથી ગૂંજશે શિવાલયો
Live TV
-
ભક્તોનું ઉમટશે ઘોડાપુર
પ્રથમ જ્યોતીલિંગ એવા સોમનાથમા શ્રાવણમાસના પ્રથમ દિવસથી ગુંજી ઊઠશે હરહર મહાદેવનો નાદ, ભક્તોનું ઉમટશે ઘોડા- પુર.સોમનાથ ટ્રસ્ટ તેમજ જીલ્લા પોલીસ દ્રારા સુરક્ષા વ્યવસ્થા બાબતે આપી માહીતી.યાત્રીકો દર્શન શાંતીથી કરી શકે તેવું કરાયું આયોજન.સાથે વિવિધ સુવીધા પણ ખુલ્લી મુકાશે.તા.2 ઓગષ્ટથી 30 ઓગષ્ટ સુધી સોમનાથ તીર્થ, ૐ નમઃશિવાયનાં નાદથી ગુંજશે.ત્યારે દેશ વિદેશ માંથી આવનારા ભાવીકો નીર્ભય રીતે શાંતીથી સોમનાથ મંદીરમાં દર્શન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ દ્રારા કરાઇ છે.સાથે જીલ્લા પોલીસ દ્રારા રાઉન્ડ ધી કલોક પોલીસ,એસઆરપી તેમજ સીક્યુરીટી સ્ટાફ દ્રારા ફરજ બજાવાશે ત્રણ જગ્યા એ પોલીસ યાત્રીકોની મદદ માટે તૈનાત રહેશે.45 લાખનાં ખર્ચથી બનેલા અધ્યતન સુલભ સૌચાલય તથા બસો ફોરવ્હીલ પાર્ક થઈ શકે તેવું અધ્યતન પાર્કીંગ ખુલ્લુ મુકાશે. સાથે અહી વિવિધ પ્રસાદ ભંડારા તેમજ ભક્તી સંગીત સહીતનાં કાર્યક્રમો પણ યોજાશે. આ વિશેની માહીતી ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી એ આપી હતી.
