BSF ગુજરાત ફ્રન્ટીયર દ્વારા શોર્યવન માટે એક જ દિવસમાં વાવ્યા 51 હજારથી વધુ વૃક્ષો
Live TV
-
સીમા સુરક્ષા દળ ગુજરાત ફ્રન્ટીયર દ્વારા શોર્યવન માટે એક જ દિવસમાં 51 હજારથી વધુ વૃક્ષો ગાંધીનગરનાં BSF હેડક્વાર્ટર સહિત ફ્રન્ટીયરના તમામ મથકો અને નજીકના ગ્રામ્ય વિસ્તારમાં વાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાવેલા વૃક્ષોની જાળવણી અને જતન માટે પણ BSF ના જવાનોએ જવાબદારી સ્વીકારી સામાજિક જવાબદારી અદા કરવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો. ગુજરાત BSF ફ્રન્ટીયરના આઈ.જી-જી.એસ.મલેકે શોર્યવન અને સીમા સુરક્ષા વ્યવસ્થા સંબંધિત માહિતી મીડિયાના માધ્યમથી આપી હતી. આ સાથે સમગ્ર દેશમાં BSF દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.
