ક્રિકેટ: શ્રીલંકાએ 7 વિકેટે ભારતને આપી હાર, સિરીઝ 2-1 થી જીતી
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી 20 સીરીઝની અંતિમ મેચ ગઈકાલે રમાઈ હતી. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 81 રન બનાવી શકી હતી. જેના જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 82 રન બનાવી સિરીઝ કબજે કરી હતી. પ્રથમ ટી 20 મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી, ત્યારબાદ બીજી અને ત્રીજી મેચમાં શ્રીલંકાની ટીમ જીત મેળવવામાં સફળ રહી છે. આમ શ્રીલંકાએ 2-1 થી સિરીઝ પર જીત હાંસિલ કરી છે.
શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ 23 રન બનાવ્યા હતા અને વાનીંદુ હસારંગાએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી ત્રણેય વિકેટ રાહુલ ચહરે ઝડપી હતી.
