ખેલમંત્રી કિરેન રિજીજુએ જંસ્કાર શિયાળુ ખેલ મહોત્સવનું કર્યુ ઉદ્દઘાટન, 13 દિવસ સુધી ચાલશે ખેલ મહોત્સવ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના જ્ન્સ્કારમાં કેન્દ્રીય ખેલકૂદ મંત્રી કિરેન રીજીજુએ 13 દિવસના જંસ્કાર શિયાળુ ખેલ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ ખેલકૂદ મહોત્સવના માધ્યમથી આ વિસ્તારમાં પર્યટનને વેગ આપવામાં આવશે અને સાથે સાથે હિમ રમતોને પણ એક નવી ઓળખ મળશે. લદ્દાખના સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ અહીં સિંધુ અને જંસ્કાર નદીના સંગમ સ્થાને એક ટ્રેકનું ઉદઘાટન કરી ચુક્યા છે. નદીનું પાણી શિયાળામાં થીજી ગયા પછી બરફની ચાદર પરની ટ્રેકમાં યોજાતા રમતોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશના સહેલાણી આવતા હોય છે. હાલમાં લેહ અને કારગિલ જિલ્લામાં ખેલો ઇન્ડિયા અભિયાન હેઠળ વિવિધ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન થઇ રહ્યું છે.
