પાંચ T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઇગ્લેંડની ટીમે ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો
Live TV
-
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ T-20 શ્રેણીની ત્રીજી મેચ રમાઇ રહી છે. ઇગ્લેંડની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે સૂર્યકુમાર યાદવના સ્થાને રોહિત શર્માને ટીમમાં સમાવવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં શ્રેણી 1-1ની બરાબરી પર છે. બંને ટીમો શ્રેણીમાં સરસાઇ મેળવવા પૂરેપૂરા પ્રયાસ કરશે. બીજી તરફ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી-20 સિરીઝની અંતિમ ત્રણ ટી-20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે. જો કે, જે લોકોએ અગાઉથી ટીકીટ બુક કરાવી છે તેઓને ટીકીટનું રીફંડ આપવામાં આવશે.