ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે આજે બપોરે વોર્સેસ્ટરમાં યોજાશે
Live TV
-
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે આજે બપોરે વોર્સેસ્ટરમાં રમાશે. ટોસ 3 કલાકે થશે જ્યારે મેચ બપોરે 3.30 વાગે શરૂ થશે. ભારતીય ટીમે આ સિરીઝ પહેલા જ ગુમાવી દીધી છે પરંતુ તેઓ આ મેચ જીતીને શ્રેણીની અંતર ઘટાડવાનો પ્રયાસ કરશે. ઇંગ્લેન્ડે પ્રથમ મેચ આઠ વિકેટથી અને બીજી મેચ પાંચ વિકેટે જીતી હતી. ભારત માટે સારી વાત એ છે કે, કેપ્ટન મિતાલી રાજને ગળાના દુખાવાથી રાહત મળી છે અને તે આ મેચમાં રમશે. આ પહેલા હરમનપ્રીત કૌર તેની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરી રહી હતી.
