ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ આજે અમદાવાદમાં રમાશે
Live TV
-
ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ ઘણી મહત્વની છે
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી અંતર્ગત આજે ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદમાં રમાશે. ભારતે ત્રીજી ટેસ્ટને દસ વિકેટે જીતીને પોતાને નામ કરી હતી. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 2-1 થી સરસાઈ સાથે આગળ છે. ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ ઘણી મહત્વની છે.
ટીમ ઈન્ડિયાએ આ મેચને કોઈ પણ સંજોગોમાં બચાવવાની છે, એટલે કે ભારતને આ મેચ જીતવા અથવા ડ્રો કર્યા સિવાય બીજુ કશું કામ નહીં આવે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાંથી ભલે બહાર નીકળી ગઈ હોય પરંતુ મેચને જીતીને શ્રેણીને ડ્રો કરવા અને ભારતની બાજી ખરાબ કરવા માટેની તક જરૂર છે.
