ભારત-દ.આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીઝની આજે છેલ્લી અને નિર્ણાયક મેચ
Live TV
-
ભારત બેંગ્લુરુમાં અંતિમ ટી-20 જીતવા માટે ફેવરિટ
આજે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ત્રણ ટી-20 સીરિઝની અંતિમ મેચ રમશે. ભારત મોહાલી ખાતેની બીજી ટી-20 7 વિકેટે જીત્યું હતું અને સીરિઝમાં 1-0થી આગળ છે. ધર્મશાલા ખાતેની પ્રથમ મેચ વરસાદના લીધે રદ થઇ હતી. ભારત આજની મેચ જીતે તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે પ્રથમ વાર સીરિઝ જીતશે.બેંગ્લુરુ ખાતે ભારતીય ટીમ અત્યાર સુધીમાં 4 મેચ રમ્યું છે, તેમાંથી 2 જીત્યું અને 2 હાર્યું છે. ટીમ 2012 અને 2019માં અનુક્રમે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. જયારે 2016 અને 2017માં બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ સામે જીત્યું હતું.