મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ મેચની શરુઆત થશે
Live TV
-
મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર લગભગ પાંચ વર્ષ બાદ ટેસ્ટમેચ શરૂ થઇ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની કાનપુર ટેસ્ટમેચનું પરિણામ ડ્રો રહ્યા બાદ બન્ને ટીમો આ ટેસ્ટમેચ જીતીને શ્રેણી જીતવાના મનસુબા સાથે મેદાનમાં ઉતરશે. કોવિડને ધ્યાનમાં લઇને મુંબઇ ક્રિકેટ એસોસિએશન પોતાના તરફથી તમામ સાવધાનીના પગલાઓ ભરશે. મહારાષ્ટ્ર સરકારના પ્રોટોકોલ અનુસાર સ્ટેડિયમની ક્ષમતાના 25 ટકા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. આ ટેસ્ટ મેચથી વિરાટ કોહલીની વાપસી થઇ રહી છે.
આ સાથે જ ગત મેચમાં રમેલા ભારતીય ટીમના 3 ખેલાડીઓ ઈશાંત શર્મા, અજીંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા ઈજા થવાના કારણે આ મેચમાં નહી રમે.
