વિનેશને ગેરલાયક ઠેરવવું ખૂબ જ આઘાતજનક : પીટી ઉષા
Live TV
-
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને ગેરલાયક ઠેરવ્યા બાદ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ મહિલા ફ્રી સ્ટાઇલ કુસ્તી ફાઇનલમાં વજનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. તેનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હતું, જેના કારણે અધિકારીઓએ કડક કાર્યવાહી કરી હતી.
આ દરમિયાન, પીટી ઉષાએ વિનેશની ગેરલાયકાતને આઘાતજનક ગણાવી છે અને એમ પણ કહ્યું છે કે IOA તેને સંપૂર્ણ ભાવનાત્મક અને તબીબી સહાય પૂરી પાડી રહી છે.
IOAના વડાએ કહ્યું, "ભારતીય રેસલિંગ ફેડરેશને UWWને વિનેશની ગેરલાયકાતના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. IOA આ અપીલનું સખતપણે પાલન કરી રહ્યું છે. આ સમય દરમિયાન, દેશ અને સમગ્ર ભારતીય દળ વિનેશની સાથે છે."
