સંસ્કારધામ સ્પોર્ટસ એકેડેમી ખાતે રમતગમત પ્રશિક્ષણ વર્ગનું આયોજન
Live TV
-
અમદાવાદથી અડીને મણીપુર ઘુમા રોડ પર આવેલા સંસ્કારધામ સ્પોર્ટસ એકેડેમી ખાતે રમત ગમત પ્રશીક્ષણ વર્ગનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ અલગ પ્રકારનાં રમત ગમત પ્રશીક્ષણ વર્ગમાં રમત ગમતના શીક્ષકોએ ભાગ લીધો હતો. આ વર્ષે યોજાનાર ટોક્યો ઓલમ્પિક્સ અને પેરાઓલમ્પિક્સ માટે ભારતના પ્રતિનિધિ તરીકે ગુજરાતના 6 ખેલાડીઓ ક્વોલિફાય થયા છે. આ 6 ખેલાડીઓ પૈકી જાણીતી મહિલા શૂટિંગ ચેમ્પીયન ઈલાવેનિલ વાલારીવન સંસ્કારધામ સ્પોર્ટસ એકેડેમીના પૂર્વ ક્ષાત્ર છે. પ્રશીક્ષણ વર્ગમાં ઈલાવેનિલ વાલારીવનને શાળા તરફથી ટોક્યો ઓલમ્પીકસ માટે ખાસ શુભેચ્છાઓ પાઠવવમાં આવી છે. ઈલાવેનિલ વાલારિવનના માતા સરોજાએ જણાવ્યું હતું કે, સંસ્કારધામ થકી આજે તે આ સ્તરે પહોચ્યા છે. ત્યારે શાળા તરફથી તેમને પ્રોત્સાહિત કરવા માટે અનેક કાર્યક્રમો યોજવાનુ પણ આયોજન છે.
