BCCI કપ્તાની લઇને મહત્વનો ફેરફાર, રોહિત શર્માને ODI અને T20 નો કપ્તાન નિયુક્ત કરવામાં આવ્યો
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમમાં કપ્તાનીને લઇને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. મર્યાદિત ઓવરની કપ્તાની વિરાટ કોહલીના હાથમાથી નીકળી ગઇ છે. સિલેક્શન કમિટીએ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે ટીમની પસંદગી કરતા રોહિત શર્માને ODI અને T20 નો કપ્તાન નિયુક્ત કરવામાં આવ્યો છે. તો ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટનની જવાબદારી પણ અજિંક્ય રહાણે પાસેથી લઇ રોહિત શર્માને સોંપવામાં આવી છે. ટેસ્ટ ટીમની કમાન વિરાટ કોહલીના હાથમા રહેશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 26 ડિસેમ્બરે થી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત કરશે. આ સિરિઝ માટે પસંદગીકારોએ 18 ખેલાડીની ટીમની પસંદગી કરી છે. આ ટીમમાં હનુમા વિહારી, મોહમદ શમી અને જસપ્રીત બુમરાહનુ પુનરાગમન થયુ છે.
