IPL 2025ની હરાજી રિયાધમાં થવાની સંભાવના
Live TV
-
IPL 2025ની મેગા હરાજી આ મહિનાના અંતમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થવાની સંભાવના છે. IPL રિટેન્શન લિસ્ટ જાહેર થયા પછી, આ વખતે ટીમોએ ઘણા અનુભવી ખેલાડીઓને જાળવી રાખ્યા નથી અને તેઓ હરાજીમાં મોટી કમાણી કરશે તેવી અપેક્ષા છે.
તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ આઈપીએલ 2025 માટે તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. હવે સૌનું ધ્યાન નવેમ્બરના અંતમાં યોજાનારી મેગા ઓક્શન પર છે. મેગા ઓક્શનમાં 25 ખેલાડીઓની ટીમ બનાવવા માટે પ્રત્યેક ટીમ માટે રૂ. 120 કરોડની કુલ મર્યાદા ઉપલબ્ધ હતી, જે હેઠળ ફ્રેન્ચાઇઝીઓને વધુમાં વધુ છ ખેલાડીઓ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આમાં, મહત્તમ પાંચ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને વધુમાં વધુ બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ હોઈ શકે છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને પ્રથમ સીઝનની વિજેતા રાજસ્થાન રોયલ્સે દરેક છ ખેલાડીઓને જાળવી રાખવાનું પસંદ કર્યું છે. પાંચ ટીમો – ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે – દરેક પાંચ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે અનુક્રમે ચાર, ત્રણ અને બે ખેલાડીઓ જાળવી રાખ્યા છે. રિટેન કરાયેલા ખેલાડીઓની રકમ બાદ કર્યા પછી રૂ. 110.5 કરોડ સાથે, પંજાબ કિંગ્સ પાસે હરાજીમાં સૌથી વધુ પૈસા હશે. આઈપીએલની હરાજી વિદેશમાં યોજવાનો નિર્ણય ફરી એકવાર તેની વધતી જતી આંતરરાષ્ટ્રીય અપીલને દર્શાવે છે..
