T-20 સિરીઝ માટે BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી
Live TV
-
આગામી વર્ષે 3 જાન્યુઆરીથી ભારતીય ટીમ શ્રીલંકા વિરૃદ્ધ T-20 સિરીઝ રમશે.T-20 સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે.એલ.રાહુલને આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં શિવમ માવી અને મુકેશ કુમાર જેવા નવા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.ટીમનું સુકાનીપદ ગુજરાતના હાર્દિક પંડ્યા સંભાળશે. સૂર્યકુમાર યાદવ ઉપકપ્તાન રહેશે. આ ઉપરાંત ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુબમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજૂ સેમસન,વોશિંગ્ટન સુંદર , યજૂવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપસિંહ,હર્ષલ પટેલ, ઉમરાન મલિકનો પણ ટીમમાં સમાવેશ થાય છે. ટી-ટ્વેન્ટિ સિરીઝ પછી ભારતીય ટીમ 10 જાન્યુઆરીથી શ્રીલંકા વિરૃદ્ધ વન ડે સીરીઝ રમવા પણ મેદાનમાં ઉતરશે. વન ડે માટે ટીમના કપ્તાન રોહિત શર્મા રહેશે.
