સુરેન્દ્રનગરઃ GCCI દ્વારા સૂરસાગર ડેરીમાં ઉદ્યોગ બેઠકનું આયોજન
Live TV
-
સુરેન્દ્રનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુર સાગર ડેરીમાં એક ઉદ્યોગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય, જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં ગૌશાળા બનાવીને ઓર્ગેનિક ખેતી તરફ વળે તેમજ પોતાની આવક વધારીને સારુ ઉત્પાદન મેળવી શકે તે હતો.
આ બેઠક રાષ્ટ્રીય કામધેનુ ગૌ સેવાના અધ્યક્ષ , ડૉ. વલ્લભભાઈ કથરીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં GCCIના ચેરમેન સુરસાગર ડેરીના અધિકારી તેમજ જિલ્લાના ઉધોગપતિ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ વિસ્તારમાં કયા ઉદ્યોગો આવી શકે તેમ છે તે અંગે ઝાલાવાડ ચેમ્બરના સભ્યો સાથે ચર્ચા થઇ હતી.