RBIએ ચાલુ નાણાંકીય વર્ષ માટે વ્યાજદરો રાખ્યા યથાવત
Live TV
-
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની કમિટીએ સઘન ચર્ચા બાદ વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે
ભારતીય રીઝર્વ બેન્ક ચાલુ નાણાંકીય વર્ષમાં આજે જાહેર કરેલી દ્વિમાસિક નાણાં નીતિમાં વ્યાજદરો યથાવત રાખ્યા છે. નવી નિતિ મુજબ રેપોરેટ 5.15 ટકા અને રીવર્સ રેપોરેટ 4.90 ટકા યથાવત રખાયા છે. એવી જ રીતે માર્જિનલ સ્ટેન્ડીંગ ફેસીલીટી – એમ.એસ.એફ. અને બેન્કરેટ 5.40 યથાવત રહેશે. રીઝર્વ બેન્કની નાણાં નીતિ સમિતિ - એમ.પી.સી. એ ફુગાવાનાદરને નિયંત્રણમાં રાખવાની સાથે સાથે વિકાસને જોમવંતો બનાવવા સમાવી લેવાનું વલણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની એમ.પી.સી. એ સઘન ચર્ચા બાદ વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.