RBI: ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ આપ્યું રાજીનામું
Live TV
-
પોતાના કાર્યકાળના 6 મહિના પહેલાં જ પદથી આપ્યું રાજીનામું
ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના કાર્યકાળના 6 મહિના પહેલાં જ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ મૌદ્રીક નીતિ વિભાગના પ્રમુખ હતા. વિરલ આચાર્યની નિયુક્તિ ત્રણ વર્ષ માટે થઈ હતી અને તેમણે 23 જાન્યુઆરી 2018ના રોજ રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગર્વનર તરીકે પદ સંભાળ્યું હતું. આરબીઆઈમાં હવે ત્રણ ડેપ્યૂટી ગવર્નર છે જેમા એન.એસ વિશ્વનાથન, બી.પી.કાનુન્ગો, અને એમ.કે.જૈન સેવામાં કાર્યરત છે.