દ્વારકાનો આ યુવાન અક્ષયકુમારનો છે દિવાનો, અભિનેતાને મળવા ચાલ્યો 900 કિમી
Live TV
-
પરબત નામનો યુવાન 18 દિવસમાં 900 કિમી ચાલીને પહોચ્યો દ્વારકાથી મુંબઇ
બોલીવુડના કલાકારોના ફેન કેટલા દિવાના હોઈ શકે છે તેનું ઉદાહરણ જોવા મળ્યુ દ્વારકામાં..પરબત નામનો યુવાન બોલીવુડ અભિનેતા અક્ષયકુમારને મળવા માટે 900 કિલોમીટર ચાલીને મુંબઈ પદહોચ્યો..જી હા..આ વિડિયો અક્ષયકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.આ વિડિયોમાં અક્ષયકુમાર પરબત સાથે વાત કરતા કહે છે કે મને મળવા માટે આ પ્રકારનું જોખમ ભર્યું કાર્ય ભવિષ્ય ન કરતા..અક્ષય કુમારે પોતાના ફેન્સને વિનંતી કરી છે કે તેઓ પોતાનો સમય અને શક્તિ પોતાની જિંદગી સારી બનાવવાં ખર્ચ કરે. અક્ષયે ટ્વીટ કરી કહ્યું આ પ્રકારે આપણું યુવાધન પોતાની શક્તિ, સમયનો ખર્ચ યોજનાઓ પૂર્વક કરે તો આપણને આગળ આવતા કોઈ રોકી શકશે નહીં.
અક્ષય કુમારે સૌરાષ્ટ્રના આ યુવાનની તસવીર અને એક વીડિયો ટ્વિટ કર્યો હતો, અને કહ્યું હતું કે, આ યુવાન 900 કિલોમીટરથી વધુ ચાલીને દ્વારકાથી આવ્યો છે. તેના યોજના પ્રમાણે તે 18 દિવસ પછી આજે રવિવારે મુંબઇ આવી પહોંચ્યો છે. જો આપણા યુવાનો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની યોજના અને સંકલ્પનો ઉપયોગ કરે છે તો પછી અમને કોઈ રોકતું નથી! આપ સૌને મળવું હંમેશાં ઉત્તમ છે અને તમે મને જે પ્રેમ કરો છો તેના માટે હું આભારી છું પણ કૃપા કરીને આ બાબતો ન કરવા વિનંતી. પરબતને ખૂબ ખૂબ શુભેચ્છા..પરબત 16 ઓગસ્ટના રોજ દ્વારકા મંદિરે દર્શન કરી નીકળ્યો હતો. તે રોજ 50થી 60 કિલોમીટર ચાલતો હતો. તે ચોટીલા, બગોદરા, વડોદરા, સુરત, વાપી થઇને મુંબઇ પહોંચ્યો હતો.