પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાનને આ વર્ષના દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે કરાયા પસંદ
Live TV
-
પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાનને ભારતીય સિનેમામાં તેમના અદ્ભુત યોગદાન માટે આ વર્ષના દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરાયા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, મને આ જાહેરાત કરતા અત્યંત આનંદ અને સન્માનની લાગણી થાય છે કે, વહીદા રહેમાનજીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.
પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌધવી કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ જેવી હિન્દી ફિલ્મોમાં વહીદાજીને તેમની ભૂમિકાઓ માટે વિવેચકો દ્વારા ખૂબ વખાણવામાં આવ્યા છે. વહીદા રહેમાને પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા પુરસ્કારો મેળવનાર વહીદાજી સમર્પણ, પ્રતિબદ્ધતા અને ભારતીય નારીની તાકાતનું એક ઉત્તમ ઉદાહરણ છે.