ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'ની દેશભરમાં 9.28 કરોડની કમાણી, પાંચમા દિવસે ઘટાડો
Live TV
-
નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.) ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' રિલીઝ થયાને પાંચ દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ 22 માર્ચે હિન્દી અને મરાઠી એમ બે ભાષાઓમાં રિલીઝ થઈ હતી. વીકએન્ડ અને હોળીની રજાઓમાં રોજની 2 કરોડથી વધુની કમાણી કરનારી આ ફિલ્મનું કલેક્શન મંગળવારે ઘણું ઓછું રહ્યું હતું.
સૈકનીલ્ક ના અહેવાલ મુજબ, ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' એ પહેલા દિવસે, એટલે કે શુક્રવારે 1.05 કરોડ રૂપિયા, બીજા દિવસે 2.25 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે એટલે કે રવિવારે 2.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે સોમવારે ચોથા દિવસે 2.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 5માં દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે ફિલ્મનું કલેક્શન 1.10 કરોડ રૂપિયા રહ્યું. પાંચ દિવસમાં ફિલ્મે દેશભરમાં 9.28 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું નિર્દેશન રણદીપ હુડ્ડા દ્વારા કરવામાં આવ્યું છે અને તેણે મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. આ સાથે ફિલ્મમાં અંકિતા લોખંડે અને અમિત સ્યાલ પણ, મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ વીર સાવરકરના અંગત જીવન અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમની ભાગીદારી અને સફરને દર્શાવે છે.