મહીસાગરના લુણાવાડાની કન્યા શાળામાં સાહિત્ય સભા દ્વારા સાહિત્ય સંવાદ કાર્યક્રમ યોજાયો
Live TV
-
આ કાર્યક્રમમાં કન્નડ સાહિત્યના કવિ, નાટકકાર અને સંપાદક એચ.એસ.શિવપ્રકાશજી અને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ વાર્તાકાર કીરીટ દૂધાત ઉપસ્થિત રહ્યા
મહીસાગરના લુણાવાડાની કન્યા શાળામાં સાહિત્ય સભા દ્વારા સાહિત્ય સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કન્નડ સાહિત્યના કવિ, નાટકકાર અને સંપાદક એચ.એસ.શિવપ્રકાશજી અને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ વાર્તાકાર કીરીટ દૂધાત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વાર્તાકાર કીરીટ દૂધાતે તેમની 'ભૂત' વાર્તાથી ગ્રામ્યજીવનને જીવંત કર્યું હતું. તેમજ સંસ્કૃત સહિતની ભાષાઓના સાહિત્યમાં મિશ્રણની અનેક રચનાઓ સાહિત્યરસિકોએ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર કાનજી પટેલ, મહીસાગર સાહિત્ય સભાના સંયોજક નરેન્દ્ર જોશી સહીતના કવિઓ એને લેખકો ઉપસ્થિત રહ્યા હતા.