અમદાવાદના રાણીપમાં ગાંધી વિચારને લઇને સેમિનાર યોજાયો
Live TV
-
સમગ્ર ભારત મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ આ પર્યટન પર્વને ગાંધી વિચારો સાથે વેગ આપી રહ્યું છે. ગઇકાલે અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન હાઈસ્કૂલ ખાતે પ્રવાસન વિભાગના ઉપક્રમે ગાંધી વિચાર ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ભારત મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ આ પર્યટન પર્વને ગાંધી વિચારો સાથે વેગ આપી રહ્યું છે. ગઇકાલે અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન હાઈસ્કૂલ ખાતે પ્રવાસન વિભાગના ઉપક્રમે ગાંધી વિચાર ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિરેન કોઠારીએ કાર્ટુન દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ ગાંધી વિચારોને રજૂ કર્યા હતા. આ ઉપરાંત યુવા વક્તા રાધા મહેતાએ વિદ્યાર્થીઓ સમક્ષ ગાંધીજીના અગિયાર વ્રતોની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. આજના સમયમાં તેઓ પોતાના જીવનમાં ગાંધીજીના સિંદ્ધાતોને ઉતારી દેશને મજબૂત બનાવી શકે. આ કાર્યક્રમમાં નિશાન સ્કૂલના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.