અમદાવાદ: સિવિલમાં મ્યુકરમાઇકોસીસના 25 દર્દીઓને એક સાથે રજા અપાઈ
Live TV
-
અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે 400 કરતા વધુ દર્દીઓ સારવાર હેઠળ, જયારે અત્યાર સુધીમાં કુલ 550 જેટલી સર્જરી કરવામાં આવી
દેશભર સાથે ગુજરાતમાં પણ મ્યુકરમાઇકોસીસ રોગનું પ્રમાણ સતત વધી રહ્યું હતું, જેને ધ્યાને લેતા સરકાર દ્વારા તેને એક મહામારી જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકરમાઇકોસીસ રોગથી પીડિત દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે. ત્યારે હાલમાં જ મ્યુકરમાઇકોસીસ રોગ અંતર્ગત એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે 20 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયેલા 25 મ્યુકરમાઇકોસીસના દર્દીઓને પહેલીવાર એક સાથે રજા આપવામાં આવી છે. જયારે હજુ પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 400 કરતાં પણ વધુ દર્દીઓ મ્યુકરમાઇકોસીસની સારવાર લઇ રહ્યા છે, તેમજ અત્યાર સુધીમાં કુલ 550 જેટલા લોકોની સર્જરી કરવામાં આવી છે.