અમરેલીમાં 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાનને ગ્રામજનોએ આપ્યું સમર્થન
Live TV
-
કોરોના સંક્રમણ હવે ગામડાઓમાં પણ વધી રહ્યું છે ત્યારે નવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મારુ ગામ, કોરોના મુક્ત ગામગ્રામ્ય વિસ્તારમાં ખુબ જ સમર્થન મળી રહ્યું છે.
'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાનને અમરેલી જિલ્લામાં વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. કોરોના મુકત ગામના અભિયાનમાં સ્વૈચ્છિક રીતે ગામડાઓ જોડાઇ રહ્યા છે. મોટા ભાગના ગામોમાં સરપંચ દ્વારા ગ્રામજનોના તેમજ ખાસ કરીને યુવાનોના સમર્થનથી આ મુહિમ ને ગતી મળી રહી છે. ગામમાં બેડ ઉભા કરવા તેમજ દર્દીઓને હોમઆઇસોલેટ થવાના બદલે ગામમાં ઉભા કરેલ કોવિડ સેન્ટર માં સગવડતા આપવામાં આવી રહી છે જેથી કરીને ઘેર ઘેર ફેલાતું સંક્રમણ અટકાવી શકાય. અમરેલી જિલ્લામાં કોવાયા નાના આંકડીયા ટિમ્બિમાં કોવિડ સેન્ટર કાર્યરત થયું છે. હવે મોટા ભાગના ગામોમાં કોરોના મુકિતનુ જનઆંદોલન બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
