અરવલ્લી જિલ્લાના માઝુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Live TV
-
બંધમાંથી પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી
અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાની જીવાદોરી સમાન માઝુમ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને પાકમાં ફાયદો થાય તે હેતુસર એક રાઉન્ડનું પાણી બંધમાંથી છોડવામાં આવ્યું હતું. બંધમાંથી પાણી છોડવામાં આવતાં નહેર વિસ્તારના ગામડાઓમાં આવેલા બોર અને કૂવાના પાણીના સ્તર ઊંચા આવશે. અને ખેડૂતોને ઉનાળું વાવેતરમાં ફાયદો થશે. મોડાસા સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ માઝુમ ડેમમાં 40 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જરૂર જણાયે આગળ પણ પાણી છોડવામાં આવશે.