કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત, 2થી 3 ડિગ્રી ઘટ્યું તાપમાન
Live TV
-
હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત મળી છે. હાલ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ગગડ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં 2થી 3 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું હતું.
ગરમીના પ્રકોપ બાદ હવે લોકોને આંશિક રાહત મળી છે. આણંદમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમરેલીમાં 39.4, વડોદરામાં 39, વલસાડમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં ગરમીથી આંશિક રાહત મળતા 37.9 અને ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ અનુસાર હજુ બે-ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો બીજી તરફ ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરવામાં આવી છે.