ગીરના બાણેજમાં મતદાન મથક પર માત્ર એક મતદાર
Live TV
-
દેશ માં એક વિસ્તારમાં એક માત્ર મતદાતા ગણાતા મહંત ભરત દાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.
સમગ્ર દેશમાં ચૂંટણીની તૈયારીઓ થઇ રહી છે ત્યારે એક પણ વોટર રહી ન જાય તે માટે ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. દેશ માં એક વિસ્તારમાં એક માત્ર મતદાતા ગણાતા મહંત ભરત દાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલ માં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ એ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ પણ કરી છે. બાણેજની જગ્યા દુનિયા ભરમાં એટલા માટે પ્રસિદ્ધ છે કે અહીંના મહંત ભરતદાસ બાપુ સૌથી અનોખા મતદાતા છે, ગીરના જંગલમાં રહેતા ભરતદાસ મહારાજ એકલા એવા મતદાતા છે જેમના માટે ચૂંટણી પંચ જંગલમાં એક ખાસ મતદાન મથક બનાવે છે અને બાબા ભરતદાસ એકલા મતદાન કરે છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી એ જણાવ્યું હતું કે વન વિભાગના સહકારથી બાણેજની બાજુમાં આવેલ ફોરેસ્ટના થાણામાં મતદાન મથક બનાવવામાં આવે છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં એકલા મતદાતા તરીકે બાપુએ મતદાન કર્યું છે.