ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરાઈઃ સારવાર માટે ગાઈડલાઈનનું પાલન જરુરી
Live TV
-
ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં આ રોગ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ એપિડેમિક એક્ટ 1857 અન્વયે તેને મહામારી જાહેર કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજે સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ અને સારવાર માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇસીએમઆર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. તેમજ મ્યુકમાઇકોસિસના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસની વિગતો ભારત સરકારને મોકલવાની રહેશે.
