ગુજરાત કેડરના IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાનું કોરોનાના કારણે નિધન
Live TV
-
તેઓ છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા
ગુજરાત કેડરના IAS ઓફિસર ગુરૂપ્રસાદ મહાપાત્રાનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. Rightwards arrow1986ની બેચના IAS ઓફિસર ગુરુપ્રસાદ મહાપાત્રાએ રાજકોટ-જૂનાગઢમાં કલેક્ટર તરીકે સેવા આપી ચુક્યા છે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત કેડરના IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે મહાપાત્રાના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી આપણે ગુમાવ્યાં છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને સદગતિ અર્પે તેમજ તેમના પરિવારને સ્વ.મહાપાત્રાના અવસાનથી આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી છે.
