ગેરકાયદે સિંહ દર્શન કરાવનાને નહીં બક્ષાય, 55 ટીમ દ્વારા સઘન ચેકિંગ
Live TV
-
ગીરના સિંહ ગુજરાતમાં સુરક્ષિત હોવાનો વિશ્વાસ જૂનાગઢમાં વન વિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક જી.કે.સિંહાએ વ્યક્ત કર્યો હતો. જી.કે. સિંહાએ કહ્યું હતું કે, છેલ્લાં કેટલાક સમયથી ગીર અને સૌરાષ્ટ્રના સિંહોના વસવાટવાળા વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના બનાવોથી સરકાર ચિંતિત છે.
આ પ્રકારના બનાવોને રોકવા અને સંપૂર્ણ નિયંત્રણ માટે વન વિભાગોના અધિકારીઓની ઉચ્ચ કમિટીની રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગેરકાયદે સિંહના દર્શન અંગે સિંહના શિકાર, સમકક્ષ ભારે ગુનો દાખલ કરાશે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર - સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 275 અધિકારીઓ અને સ્ટાફની કુલ 55 ટીમો બનાવી સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગીરના 21 નાકા પર ચેકિંગ ચાલુ છે.