Skip to main content
Settings Settings for Dark

વડોદરા ચિંતન શિબિરનો અંતિમ દિવસ, શિક્ષણની ગુણવત્તા વિષય પર ચર્ચા

Live TV

X
  • વડોદરામાં યોજાયેલી નવમી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે શિક્ષણની ગુણવત્તા વિષય ચર્ચા સત્રમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી મંડળના સદસ્યો, અને વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.

    નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજય સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સર્વગ્રાહી પગલાં લીધા છે. જેને પરિણામે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટવા સાથે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવમી ચિંતન શિબિરમાં ભાગ લઇ રહેલા પ્રત્યેક અધિકારીને પોતાના ગામની કે પોતાના ક્ષેત્રના ગામની એક-એક શાળા દત્તક લેવાનું પ્રેરક આહવાન કર્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે, આપણે સૌએ ગુજરાતના પ્રારંભિક શિક્ષણથી લઇને માધ્યમિક શિક્ષણ સુધારણા માટે સ્વયં ઇનોવેટીવ બનવાની પહેલ કરવી પડશે. શિક્ષણની ગુણવત્તા એ માત્ર ગુજરાત કે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતા છે, ત્યારે રાજયમાં શિક્ષણને ગુણવત્તાયુકત બનાવવા સરકારની સાથે સમાજે પણ ચિંતા કરી સરકારી શાળાઓમાં શિક્ષણ નબળું અપાય છે એવી માનસિકતા સમાજમાં ઉભી થઇ છે તે દૂર કરવી પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
apply