રાજ્યના વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણથી ઠંડક પ્રસરી
Live TV
-
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદ, સુરત સહિત કેટલાક શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં એકાએક વાતાવરણમાં થયેલા પલટાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અરવલ્લીમાં પણ વાદળછાયું વાતાવરણ થતા લોકોને કેટલેક અંશે ગરમીથી હાશકારો મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગરમીનું તાપમાન વધારે હોવાથી લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા હતા. તો આ તરફ છેલ્લા 3 દિવસથી અંબાજી પંથકમાં ગરમીના ભારે ઉકળાટ બાદ 2 દિવસથી સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.આવા વાતાવરણના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જે જોતા નજીકના સમયમાં જ વરસાદની પધરામણી થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.