ગોધરા-અમદાવાદ હાઈવે પર એસટી બસને નડ્યો અકસ્માત, ત્રણ મુસાફરોને ઈજા
Live TV
-
ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
ગોધરા અમદાવાદ હાઇવે ઉપર આવેલ વાવડી ટોલનાકા પાસે દાહોદથી ભુજ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો,આ અકસ્માતમાં ત્રણ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જાંબુઆથી ભુજ તરફ જઈ રહેલ એસટીબસ ગોધરા પાસે આવેલ વાવડી ટોલ નાકા પાસેથી પસાર થઈ રહી હતી જે દરમિયાન બસ ચાલકે અચાનક બ્રેક મારતા એકાએક બસે પલ્ટી મારી અને અકસ્માત સર્જાયો ઘટના સમયે બસમાં 15 જેટલા મુસાફરો સવાર હતા જેમાં ત્રણ મુસાફરોને ઇજા પહોંચી છે બસ ચાલકના જણાવ્યા મુજબ દાહોદ તરફથી અન્ય ડ્રાઇવર બસ લઈને આવ્યો હતો તે સમયે બસની બ્રેક યોગ્ય રીતે કામ કરતી ન હોવાનું ડ્રાઇવરે જણાવ્યું હતું, જોકે આ સમગ્ર મામલે હવે તપાસ બાદ જ સાચુ કારણ સામે આવી શકશે.