જીતુ વાઘાણી: ગુજરાત સરકારે પ્રવાસી શિક્ષકની ભરતી પગારથી કરવાનો કર્યો નિર્ણય
Live TV
-
ગુજરાત સરકારે “પ્રવાસી શિક્ષક” ની ભરતી માસિક 27 હજારના પગારથી કરવાનો નિર્ણય કર્યો છે, જેથી શિક્ષકની ઘટ નિવારી શકાય. ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક બાદ પત્રકારોને તેની માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી હતી. કેબિનેટ દ્વારા લેવાયેલા અન્ય નિર્ણયો વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે આગામી બજેટ માટે સમાજના દરેક વર્ગ સાથે પરામર્શ કરવાનું કામ 9 ડિસેમ્બર પછી નાણાંમંત્રી કનુ દેસાઇ શરૂ કરવાના છે. કોરોના વાઇરસના ઓમિક્રોન સ્વરૂપનો એક પણ કેસ હજુ સુધી ગુજરાતમાં નોંધાયો નથી તેવી માહિતી પણ જીતુ વાઘાણીએ આપી હતી.