જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો 'રાજ્ય રક્ષિત સ્મારક' તરીકે જાહેર
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને 'રાજ્ય રક્ષિત સ્મારક' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક એવા ઉપરકોટના કિલ્લાની દિવાલ અને ઉપરકોટના દરવાજાને 'રાજ્ય રક્ષિત સ્મારક' તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર હસ્તકના જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આવેલા આ 'રક્ષિત સ્મારક'-કિલ્લાની દિવાલ અને ઉપરકોટનો દરવાજો ૨,૭૩,૭૩૩ ચો.મી. વિસ્તારમાં આવેલો છે.