દરેક વર્ગની લાગણીને ધ્યાનમાં રાખી સરકાર લેશે નિર્ણયઃ DyCM નીતિન પટેલ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એલ.આર.ડી. ભરતી અંગે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે.
તેમાં સમાજના દરેક વર્ગની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર , કાયદાકીય રીતે નિર્ણય લેશે. તેમણે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. તો સામે કોંગ્રેસે પણ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુજરાત સરકારે આંદોલન પર બેઠેલા લોકોને સાંત્વના આપી હતી અને 1-8-2018ના પરિપત્રમાં ફેરફાર કરવાની ખાતરી આપી છે. ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુરુવારે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી હતી.