દ્વારકા અને પોરબંદરના દરિયામાં ડૂબ્યા 15 માછીમારો, 2 લાપતા
Live TV
-
તોફાની દરિયાના પગલે માછીમારી કરવા ગયેલી 3 નાની બોટ ડૂબી, હાથ ધરાયું રેસ્ક્યૂ ઓપરેશન
હાલ દરિયામાં માછીમારી કરવાની મનાઈ હોવા છતાં માછીમારો દરિયો ખેડવા જતા હોય છે ત્યારે ગત શનિવારે દરિયામાં ચાર જેટલી હોડીઓ ગઈ હતી.અને દરિયો તોફાની બનતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પોરબંદરમાં વરસાદના પગલે દરિયો તોફાની બન્યો હતો. જેના પગલે માછીમારી કરવા ગયેલી 3 નાની બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 માછીમારોના મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે 3 બોટ અને 14 માછીમારો લાપતા બન્યાં હતાં. આ સમગ્ર રેસક્યૂ ઓપરેશન કોસ્ટગાર્ડની સમુદ્ર પાવક શિપ અને હેલિકોપ્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન દરિયામાં સવાર 4 માછીમારો હરિપ્રસાદ નામની બોટમાં નજરે ચડતા તમામને દિલધડક રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યાં હતા. આ પછી માછીમારોની હોડીને કોસ્ટગાર્ડની શિપ સાથે ટૉ કરીને પોરબંદર લાવવામાં આવી હતી.
દ્વારકાનાં દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોના વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 15નો થયો છે. રૂપેન બંદરની હોડીઓ સાથે કેટલાક માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા હતા.પરંતુ દરિયો તોફાની બનતા માછીમારો મધદરિયે જ ફસાઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. જેમાં કુલ 8 માછીમારના મોત થયા જ્યારે 2 માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. હજુ દરિયો ખેડવા ગયેલા 2 માછીમાર લાપતા છે. જેમની શોધખોળ કરવામાં આવી રહી છે.