Skip to main content
Settings Settings for Dark

ધોરણ-૧૦ના નિયમિત વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને  ધોરણ-૧૦માં નિયમિત વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે.આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓનું રસીકરણ હાલ શક્ય નથી..ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતને જોતાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે.આ અંગે વધુમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ ઉમેર્યુ કે,  રાજ્યની ૧ હજાર ૨૭૬ સરકારી, ૫ હજાર ૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪ હજાર ૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦ હજાર ૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. વધુમાં શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply