નર્મદાઃ આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને વેલકમ
Live TV
-
નર્મદાનું પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. કોરોનાનાં ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓએ પ્રવાસ દરમિયાન કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. પ્રવાસીઓ માટે ઓનલાઇન ટિકિટ અને હોટેલો માટેનું બુકિંગ પણ શરૂ થયું છે. પ્રવાસીઓનાં આવવાની સંભાવનાઓને પગલે રેંકડીવાળા અને હોટેલ સંચાલકો પણ તૈયારીમાં લાગી ગયા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર દેશનો સર્વપ્રથમ ઇલેક્ટ્રિક વ્હિકલ ધરાવતો વિસ્તાર બનશે. પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાતી ડીઝલ બસોના સ્થાને હવે ઇલેક્ટ્રિક બસો વપરાશે. વિસ્તારના પુખ્ત વયના રહેવાસી વ્યક્તિને દ્રી-ચક્રી ઇ-વાહન ખરીદવા સહાય આપવામાં આવશે.
