નર્સિગ સ્ટાફના ભથ્થામાં સરકારે વધારો કર્યો
Live TV
-
પહેલી જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે
રાજ્ય સરકારે આજે વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યની હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓમાં કામ કરતાં નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને મળતા યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં નોંધપાત્ર વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનો અમલ પહેલી જાન્યુઆરી 2020થી કરવામાં આવશે.યુનિફોર્મ એલાઉન્સ પ્રતિમાસ રૂપિયા 350ના બદલે 490 અને વોશિંગ એલાઉન્સ રૂપિયા 150ના બદલે 210 અપાશે.રાજ્યના 20,000 હજારથી વધુ સંવર્ગના કર્મચારીને લાભ મળશે.આ ઉપરાંત રાજ્યની પ્રતિષ્ઠિત કિડની ઈન્સ્ટીટ્યૂટ અમદાવાદ ખાતે દર્દીઓને અદ્યતન, ઝડપી અને ગુણવત્તાલક્ષી યોગ્ય સારવાર મળી રહે તે માટે તેની ગર્વનિંગ કાઉન્સિલમાં ત્રણ નિષ્ણાંત તબીબોની નિમણુંક કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
