પવનની દિશા બદલાવાથી રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું: હવામાન વિભાગ
Live TV
-
ગુજરાતમાં ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઇ હતી. શિયાળાની આ ઋતુ દરમિયાન હાલ લોકો થોડી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ પવનની દિશા બદલાવાથી રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેના લીધે લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.
જે અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આવનારા પાંચ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થશે. તો રાજ્યમાં ક્યાંય પણ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી અને માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.