પોરબંદરના બંને ડેમોમાં પાણીની આવક થતા હવે એકાંતરે પીવાનું પાણી વિતરણ કરાશે
Live TV
-
પોરબંદરમાં પીવાના પાણીની સમસ્યા હળવી થઈ છે. પાલિકા દ્વારા પાણી પર મુકાયેલો કાપ દૂર કરાતા, પોરબંદરની ગૃહિણીઓની મોટી ચીંતાનું નિવારણ આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાયો હતો. જેના કારણે પોરબંદરની બન્ને ડેમમાં 30 થી 35 ટકા જ પીવાનું પાણી રહ્યું હતું. પાણીની માત્ર ઓછી હોવાથી પોરબંદરમાં પાણી પુરવઠો દર 3 દિવસે પુરો પાડવામાં આવતો હતો. પરંતુ પાછળથી મેઘરાજાએ મહેર વરસાવતા જિલ્લાના ફોદાળા અને ખંભાળા બંન્ને ડેમમાં પાણીની આવક થઇ હતી. આ બંને ડેમમાં 1 વર્ષ ચાલે એટલા પીવાનાં પાણીનો સંગ્રહ થઇ ગયો હોવાથી હવે 3 દિવસને બદલે હવે પોરબંદરવાસીઓને એકાંતરે પીવાનું પાણી વિતરણ કરવામાં આવશે.