બીલીમોરા: મેંગુષી હોસ્પિટલનાં પ્રસૂતિગૃહમાં પ્રથમ કોવિડ કેર હોસ્પિટલનું સાંસદ સી.આર. પાટીલ દ્વારા લોકાર્પણ
Live TV
-
બીલીમોરા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સરકારી મેંગુષી હોસ્પિટલનાં પ્રસૂતિગૃહમાં પ્રથમ કોવિડ કેર હોસ્પિટલનું સાંસદ સી.આર. પાટીલે લોકાર્પણ કર્યું હતું. રૂ. ૨૦ લાખના ખર્ચે બનેલ આ હોસ્પિટલમાં ૩૦ ઓક્સિજન બેડ અને ICU ઉપલબ્ધ થશે અને તબીબી તજજ્ઞોની કોરોના દર્દીઓને ઘરઆંગણે સેવા પણ પ્રાપ્ત થશે. બીલીમોરા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી ઉંડાચ રામલક્ષ્મી માનવ કલ્યાણ ટ્રસ્ટ, આંતલીયા સહાય ટ્રસ્ટ અને દાતાઓના સહયોગ થકી આ કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હતું. આ સેન્ટર ૧૫ સેન્ટ્રલલાઈન ઓક્સિજન કનેક્ટેડ, ૫ આઇસીયુ અને ૧૦ બેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, બાયપેપ સુવિધાથી સજ્જ કરાયું છે. ટૂંક સમયમાં વેન્ટિલેટર સુવિધા પણ આ સેન્ટરમાં ઉપલબ્ધ બનશે.
