સાપુતારા: કોરોનાના કારણે સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું
Live TV
-
ગુજરાત રાજ્યના હિલ સ્ટેશન સાપુતારામાં સ્વૈચ્છિક લોકડાઉનને પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સતત પ્રવાસીઓથી ઉભરાતા રહેતા એવા ગિરિમથક સાપુતારામાં હાલમાં કોરોનાના કારણે સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું છે અને તેના પગલે સાપુતારાના રસ્તાઓ પ્રવાસીઓ વિનાના સૂમસામ જોવા મળી રહ્યા છે. સ્વૈચ્છિક લોકડાઉનમાં મોટી હોટલોથી માંડી નાની- નાની દુકાનોના વ્યાપારીઓ પણ જોડાયા છે.જો કે દેશના અન્ય પ્રવાસન સ્થળોની જેમ સાપુતારામાં છેલ્લા 1 મહિનાથી નહિવત પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે.
