Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ વધારવા આદેશ કરવામાં આવ્યા

Live TV

X
  • કોરોના સામે રક્ષણ મેળવા સૌથી અમોય શસ્ત્ર હોય તો તે છે રસી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનને લઈ ખોટો ભય પેદા થયો છે ત્યારે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ વધારવા આદેશ કરવામાં આવ્યા છે  ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખોટી માન્યતા અને જાગૃતિ નહી હોવાથી વેક્સિનેશન લેવાથી દુર ભાગે છે તેનો ભય દુર કરવા માટે કલેકટર દ્વારા 50 લોકોની મનોવિજ્ઞાનની ટીમને સર્વેની કામગીરી આવી અને લોકોને સમજાવી રસીકરણ માટે તૈયાર કરવા જવાબદારી સોપી છે.મનોવિજ્ઞાનની ટીમના જણાવ્યા મુજબ ગામડાઓમાં એક સમૂહ છે અને તેના લીડર પણ રસી લેતા નથી તેમજ બીજા લેવા પણ દેતા નથી અને એવો ભ્રમ ફેલાવે છે કે રસી લઈશુ એટલે મરી જઈશુ. જિલ્લા વિકાસ અધિકારીને પણ પાછા ધકેલી મુક્યા છે તેવુ જાણવા મળી રહ્યુ છે.

    રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પણ ગામડાઓમાં અંધશ્રદ્ધા અને અફવાઓથી પ્રેરાયને લોકો વેક્સિનેશનથી દૂર રહેતા હોવાનો ખુદ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ સ્વીકાર કર્યો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને રાજકોટ મનપા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વેક્સિનેશન અંગે કહ્યું હતું કે-લોકોમાં વેક્સિન અંગેની અંધશ્રદ્ધા અને ડર હોવાના કારણે વેક્સિનેશન ઓછું થયું છે. હાલ અંધશ્રદ્ધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વેક્સિન મુકાવતા નથી. આ તકે તેમણે લોકો વધુને વધુ રસીકરણનો લાભ લેવા માટે અપીલ કરી હતી અને જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાને પોતે વેક્સિન લીધી હોય ત્યારે વેક્સિન અંગે કોઈ શંકા કે સવાલ રહેતા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply