રાજ્યના 20માં રાજ્યપાલ બન્યા આચાર્ય દેવવ્રત
Live TV
-
ગુજરાતના રાજ્યપાલપદે નવા વરાયેલા પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા...રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષામાં રાજ્યપાલ પદના શપથ લીધા.
ગુજરાતના રાજ્યપાલપદે નવા વરાયેલા પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા...રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષામાં રાજ્યપાલ પદના શપથ લીધા..ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિએ તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા..તે વેળાએ વિદાય લઇ રહેલા રાજ્યપાલ ઓ પી કોહલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, ધારાસભ્યો, રાજ્યપાલના પરિવારજનો, વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા..મુખ્ય સચિવ ડો જે એન સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલા રાજ્યપાલ નિમણુંકપત્ર નું વાંચન તેમજ શપથ વિધિ નું સંચાલન કર્યું હતું.
