રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કિસાન સંમેલનને કર્યું સંબોધન
Live TV
-
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું લોકોન સમજાવ્યું મહત્વ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ,અમરેલી જિલ્લાના ખડસલી ગ્રામસેવા કેન્દ્ર લોકશાળા ખાતે કિસાન સંમેલનને સંબોધ્યું હતું. રાજ્યપાલએ ગાંધીજીના વિચારોને વ્યવહારમાં ઉતારી , શિક્ષણ ક્ષેત્રે પાયાનું કાર્ય કરતી ખડસલી લોક શાળાની શૈક્ષણિક કામગીરીને બિરદાવી હતી. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું , કે છેલ્લા કેટલાક દાયકાઓથી આપણા ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી તરફ વળ્યા હોવાથી દિવસે દિવસે ઉત્પાદન ઘટી રહ્યું છે. રાસાયણિક ખેતીના પરિણામે લોકો બ્લડપ્રેશર, હૃદય રોગ, કેન્સર જેવી ખતરનાક બીમારીઓનો સામનો કરે છે.
પણ જો એ જ ખેડૂત , ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે , તો એમનું ઉત્પાદન પણ બમણું થશે , અને દેશને પોષણયુક્ત આહાર મળશે. આ પ્રસંગે લોક શાળા સંસ્થાના સંચાલક , મનુભાઈ મહેતા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય સહિત , અધિકારી અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.