રાજ્યમાં આજે કોરોનાનાં 45 નવા કેસ, 26 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં આજે કોરોનાનાં નવા 45 કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચમાં 7, વડોદરામાં 5, ગાંધીનગર અને સુરતમાં 4-4, કચ્છમાં 3, નવસારી, ભાવનગર, રાજકોટ અને વલસાડમાં 2-2, આણંદ, ખેડા અને જામનગરમાં 1-1 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાનાં કેસની સંખ્યા જોઈએ તો હાલ દેશમાં 99 હજાર 23 એકટીવ કેસ છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઉમેરાયેલા 8 હજાર 924 કેસનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 10 હજાર 207 લોકો સાજા થયા છે અને 267 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે. દેશભરમાં અત્યાર સુધીમાં 124 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 80 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.