રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 138 નવા કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં બુધવારે કોરોનાના 138 નવા કેસ નોંધાયા હતા. 487 દર્દીઓએ કોરોનાના માત આપી છે. જ્યારે 3 દર્દીઓના મોત નિપજ્યાં છે. જ્યારે કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 4 લાખ, 48 હજાર, 153 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે દર્દીઓના સાજા થવાનો દર પણ વધી રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.20 ટકાએ પહોંચ્યો છે. કોરોના કેસ પર નજર કરીએ તો, અમદાવાદમાં 31 કેસ, સુરતમાં 31 કેસ, જૂનાગઢમાં - 13, વડોદરામાં 16 રાજકોટમાં 8, જામનગરમાં 4, ગીર સોમનાથ 4, તો ગાંધીનગરમાં 3 અને ભાવનગરમાં બે કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના 3 દર્દીઓના મૃત્યુ થયા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં બે કરોડ, 34 લાખ , 57 હજાર, 715 નાગરિકોને વેક્સીન આપવામાં આવી છે.
